ક્ષુદ્રતા અને સ્વાર્થ- આ બે પાપો
મહાભયંકર છે,
તેની દયા ખવાય નહીં ;
પણ આ બન્ને પાપો લગભગ સાર્વત્રિક જ દેખાય છે,
તેથી બધામાં રહેલા આ દુર્ગુણોનો
તિરસ્કાર ન કરતાં
પોતાનામાંથી તેનુ નિર્મુલન કરો………….(પ.પૂં દાદાજી )
હે પ્રભો….
મારા ઉદ્યોગમાં તારો યોગ,
મારા ગીતમાં તારો સૂર,
મારા ચિત્રમાં તારો રંગ,
મારા ખેતરમાં તારો મોલ,
મારા અલંકારમાં તારુ સોનુ
ભર,
આજ મારા જીવનની સફળતા
અને દિવાળી છે…………..(પ.પૂં દાદાજી )
Leave a comment